Sunday, April 26, 2015

જિંદગીને બહેતર બનાવવાનાં 25 પગથિયાં – (ભાગ - 5)

   


[21] ઈશ્વરના આશીર્વાદનો સદા અનુભવ કરો : જીવનમાં કોઈ નિષ્ફળતા છે નહીં. દેખીતી બધી નિષ્ફળતાઓ વધુ મોટી સફળતા તરફ લઈ જતી સીડીઓ છે. જ્યારે અવરોધો અસહ્ય લાગે ત્યારે અંતરના ઊંડાણથી કરેલી પ્રાર્થના ચમત્કાર કરી શકે છે. ઈશ્વરનો મને આશીર્વાદ છે એવી લાગણી તમને કોઈ પણ નિષ્ફળતામાંથી બહાર આવવામાં મદદ કરશે.


[22] સદવર્તન કરતા રહો : તમે સદવર્તન કરો છો ત્યારે તમારી ખરી પ્રકૃતિ પ્રગટ થાય છે. પણ દયા અને સેવાની પ્રવૃત્તિ મિકેનિકલ હોવી જોઈએ. સહજભાવે આવાં સત્કૃત્યો કરો.


[23] હંમેશાં વિદ્યાર્થી રહો : તમે હંમેશ માટે વિદ્યાર્થી રહો. જ્ઞાન કોઈ પણ ખૂણામાંથી આવી શકે છે. જીવનમાં દરેક પ્રસંગ અને વ્યક્તિ આપણને કાંઈક અને કાંઈક શીખવે છે. દુનિયા આપણી ગુરુ છે અને તમે સતત શીખતા રહેવાની વૃત્તિ રાખશો તો તમે બીજાની કિંમત ઓછી આંકવાની બંધ કરશો.


[24] અશક્ય સાધવાનું સપનું જુઓ : તમારી પાસે સપનું હશે તો એને સાકાર કરી શકશો. અશક્ય લાગે તે સાધવાનું સપનું જુઓ. આપણે સહુ દુનિયામાં કશુંક અદ્દભુત અને અનોખું કરવા આવ્યા છીએ. તકને સરકી જવા દેતા. મોટાં સપનાં જોવાની અને પછી તેને સાકાર કરવાની હિંમત કેળવો.


[25] તમારા દેખાવની તુલના કરો : નવા વર્ષની ઉજવણી તમને શાણા થવાનો અવકાશ આપે છે. ભૂતકાળમાંથી શીખવા જેવું શીખો, ભૂલવા જેવું ભૂલો અને આગળ વધો. ગરીબ માનવી વર્ષમાં એક વાર નવું વર્ષ ઊજવે છે. અમીર માણસ દરરોજ ઊજવે છે. પણ સૌથી સમૃદ્ધ તો છે જે જીવનની ક્ષણેક્ષણને ઊજવે છે. તમે કેટલા સમૃદ્ધ છો તેના તરફ નવું વર્ષ ઉજવતા ઉજવતા એક નજર કરજો. તમારું હોમવર્ક છે અને તમારા વર્ષના દેખાવની ગયા વર્ષના તેમજ તેના આગલા વર્ષ સાથે તુલના કરશો. હંમેશાં સ્મિત કરતા રહેજો. હૃદય હંમેશાં જૂની વાતોને ઝંખે છે અને મન નવી બાબતોને. જિંદગી બંને બાબતોનું મિશ્રણ છે


શ્રીરવિશંકરજીના પચ્ચીસ પગલાંનો  અમલ કરવાથી આપણી જિંદગી જરૂર બહેતર બની શકે.



No comments:

Post a Comment

free click here